Tadpatri Sahay Yojana 2023: તાડપત્રી સહાય યોજના, જાણો સંપૂર્ણ માહિતી

Tadpatri Sahay Yojana 2023: શું તમે તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માગો છો?તો તમને અહી આ પોસ્ટમાં તાડપત્રી સહાય યોજના વિશે પૂરી જાણકારી બતાવવામાં આવી છે.તાડપત્રી યોજનાનો કેટલી સહાય મળે, કેવી રીતે સહાય મળે તથા તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માટે કયા-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ તેની વિગતવાર માહિતી મેળવીશું. તો આ પોસ્ટને અંત સુધી વાંચજો અને જેમને તાડપત્રીની જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

અગાઉના આર્ટીકલમાં આપણે મફત પ્લોટ યોજનાગુજરાતનું BPL લિસ્ટમાનવ કલ્યાણ યોજના 2023વૃદ્ધ પેન્શન યોજનાતાર ફેનસિંગ વાડ યોજનાસુકન્યા સમૃદ્ધિ યોજનાબાલ સખા યોજનાટ્રેક્ટર સહાય યોજનામફત સિલાઈ મશીન યોજનાતબેલા લોન સહાય યોજનાપ્રધાનમંત્રી વાણી યોજનાબેંક ઓફ બરોડા ઈ-મુદ્રા લોન યોજનાસ્ટેશનરી દુકાન ખોલવા માટે લોન ની સહાયPradhan Mantri Jandhan Yojana 2023: પ્રધાનમંત્રી જનધન યોજનાગુજરાત ગો ગ્રીન યોજનાની વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે તાડપત્રી સહાય યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Tadpatri Sahay Yojana 2023

યોજનાનું નામતાડપત્રી સહાય યોજના 2023
યોજનાનો ઉદ્દેશખેડૂતોને સબસીડી દ્વારા સાધન સહાય
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીગુજરાતના ખેડૂતો
સહાય રકમ50% અને 75 % અથવા રૂ.1250- અથવા રૂ.રૂ.1875/- બે માંથી ઓછું
ઓફિશ્યલ વેબસાઈટ ikhedut.gujarat.gov.in

તાડપત્રી સહાય યોજના વિશે ટૂંકમાં માહીતી

ગુજરાત રાજ્યના ખેડૂતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. Agriculture Cooperation Department દ્વારા ikhedut portal બનાવવામાં આવેલ છે. જેના માધ્યમથી ખેડૂતો વિવિધ ખેતી વિષયક યોજનાઓનો લાભ ઘરે બેઠા ઓનલાઈન અરજી દ્વારા મેળવી શકે છે.

હાલમાં આઈ-ખેડૂત પોર્ટલ પર Khetivadi ni Yojana માં “તાડપત્રી યોજના” માટે ઓનલાઈન અરજીઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે. ખેડૂતોને ખેતીમાં વિવિધ ઉપયોગ માટે તાડપત્રીનો ઉપયોગ કરી શકે તે હેતુથી આ સહાય આપવામાં આવે છે.

તાડપત્રી સહાય યોજનાનો હેતુ

રાજ્યમાં નાના, સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી રહે તે ખુબજ જરૂરી છે. ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે.

જેમાં પાકને થ્રેસરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તાડપત્રીની જરૂર રહે છે. જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે તે જરૂરી છે. આવા વિશેષ ઉદ્દેશ માટે તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.

SBI Asha Scholarship 2023: બધા વિદ્યાર્થીઓને SBI તરફથી 5 લાખની શિષ્યવૃત્તિ મળશે, ભરો ફોર્મ

E Olakh Birth and Death Certificate: હવે ઘરે બેઠા ડાઉનલોડ કરો જન્મ, મરણનું પ્રમાણપત્ર

તાડપત્રી સહાય યોજનાની પાત્રતા

  • લાભાર્થી ખેડૂત હોવો જોઈએ.
  • લાભાર્થી ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત હોવો જોઈએ.
  • અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • જંગલીય વિસ્તારના ખેડૂતો ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
  • Ikhedut Tadpatri Yojana ત્રણ વાર લાભ મળશે.
  • Tadpatri Yojana નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતોઓએ ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે.

તાડપત્રી સહાય યોજનામાં સહાય ધોરણ

  • અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-14):- આ સ્કીમ અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે
  • સામાન્ય ખેડૂતો માટે(AGR-2):-આ સ્કીમ સામાન્ય જાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 50 % અથવા રૂા.1250/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
  • NFSM (Oilseeds and Oil Palm):આ સ્કીમમાં તાડપત્રીની ખરીદ કિંમતના 50 % અથવા રૂ. 1250/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. ખેડૂત્ના અલગ-અલગ ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ સુધી સહાય મળશે.
  • અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-3) આ સ્કીમ અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે છે. આ યોજના હેઠળ તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
  • અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-4) આ સ્કીમ અનુસુચિત જાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

તાડપત્રી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • ખેડૂતનું આધારકાર્ડની નકલ
  • રેશનકાર્ડની નકલ
  • ikhedut portal 7-12
  • વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ
  • જમીનના 7/12 અને 8-અ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
  • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • બેંક ખાતાની પાસબુક
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો

તાડપત્રી સહાય યોજનાની અરજી કેવી રીતે કરવી?

  • અરજદારે સૌપ્રથમ ‘Google Search Bar” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
  • જે રીઝલ્ટમાંથી અધિકૃત @ ikhedut.gujarat.gov.in વેબસાઈટ ખોલવી.
  • Khedut website ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
  • “ખેતીવાડી ની યોજના” Open કર્યા બાદ જ્યાં 49 યોજનાઓ બતાવશે.
  • જેમાં ક્રમ નંબર-11 પર “Tadpatri Sahay Yojana” માં પર ક્લિક કરવાની રહેશે
  • જેમાં તાડપત્રી યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
  • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો Aadhar Card અને Mobile Number નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
  • જો લાભાર્થી ખેડૂતેએ I khedut portal પર Registration કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
  • ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

અરજી કરવા માટેની લીંક

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

FAQs: આ યોજનાને લગતા પ્રશ્નો અને જવાબો

આ યોજનાનું નામ શું છે?

આ યોજનાનું નામ તાડપત્રી સહાય યોજના છે.

આ યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે લીંક કઈ છે?

આ યોજના માટે ઓનાલાઈન અરજી કરવા માટેની લીંક https://ikhedut.gujarat.gov.in/ છે.

આ યોજનામાં કેટલી સહાય મળશે?

આ યોજનામાં રૂપિયા 1875ની સહાય મળશે.

Leave a Comment