Gujarat Talati Bharti 2023: રાજ્યમાં 3077 તલાટીની ભરતી કરાશે, મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય

Gujarat Talati Bharti 2023: રાજ્યમા યુવાનો ની સરકારી નોકરી માટે તલાટી બનવુ એ પહેલી પસંદગી હોય છે. રાજ્યમા અવારનવાર તલાટી, શિક્ષક, પોલીસ વગેરે માટે મોટી ભરતીઓ સરકાર કરે છે. Gujarat Talati Bharti 2023 રાજયમા તલાટી અને જુનીયર ક્લાર્ક માટે પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે GPSSB દ્વારા મોટી ભરતી કરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામા આવી હતી અને આ ભરતીની કામગીરી હાલ અંતિમ તબક્કામા છે. ત્યારે તલાટીની વધુ એક મોટી ભરતી આવનાર છે. ચાલો જાણીએ તલાટી ભરતીની વિગતવાર માહિતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય

રાજ્યના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારે કરતા યુવાનો માટે આનંદના સમાચાર આવી ગયા છે. (Gujarat Talati Bharti 2023) રાજ્યમાં 3077 તલાટીની ભરતી કરવામાં આવનાર છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનો માટે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી કક્ષાએથી આ ભરતીને સૈદ્ધાંતિક મંજૂરી વિભાગને આપી દેવામા આવી છે. ટૂંક સમયમાં પંચાયત વિભાગ દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામા આવનાર છે.

3077 જગ્યાઓ માટે તલાટીની ભરતી થશે

Gujarat Talati Bharti 2023. તલાટી ભરતીની ઘણા યુવાનો રાહ જોતા હોય છે. અને તલાટી પરીક્ષા માટે તૈયારી કરત હોય છે. તલાટી બની પંચાયત વિભાગમા જોડાઇને કારકિર્દી બનાવવી એ દરેક યુવાનનુ સપનુ હોય છે. ત્યારે હાલ ચાલી રહેલી તલાટીની મોટી ભરતીનુ ફાઇનલ સીલેકશન લીસ્ટ પણ જાહેર કરી દેવામા આવ્યુ છે. અને વધુ એક તલાટીની મોટી ભરતી આવી રહિ છે. મુખ્યમંત્રી કક્ષાએથી આ નવી ભરતીને સૈધ્ધાંતિક મંજુરી પણ આપી દેવામા આવી છે. ત્યારે ક્યારે ભરતી આવશે, કેટલી ભરતી આવશે, શૈક્ષણિક લાયકાત શું હશે તે વિગતવાર ભરતી જાહેરાત આવ્યા બાદ જ ખ્યાલ આવશે.

ગુજરાત પોલીસમાં પણ મોટી ભરતી થશે

રાજ્યના પોલીસ વિભાગમાં પણ મોટી ભરતી આવી રહી છે. તેના ભાગરૂપે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જવાબદારી આઇપીએસ હસમુખ પટેલને સોંપવામાં આવી છે. હસમુખ પટેલ સાહેબને નવા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારે નવા પોલીસ ભરતી બોર્ડની રચના કરી છે, ત્યારે હસમુખ પટેલ નવા પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ બન્યા છે. આ ભરતી બોર્ડ ટૂંક સમયમાં પીએસઆઇ અને એલઆરડીની ભરતી બહાર પાડી પરીક્ષા યોજશે.

છેલ્લે તલાટી, એલઆરડી, જુનીયર કલાર્ક જેવી ભરતીઓમા લેવામા આવેલી પરીક્ષાઓમાં હસમુખ પટેલે નિભાવેલી જવાબદારીથી પેપર ફૂટવાની અને ગેરરીતીની ઘટનાઓ પર સંપૂર્ણ બ્રેક લાગી છે. હસમુખ પટેલ સાહેબની છબી સ્વચ્છ અને પ્રામાણિક અધિકારી તરીકેની છે. ઉલ્લેખનીય છે કે હસમુખ પટેલ સાહેબે તલાટી અને જુનીયર ક્લાર્ક ની ભરતીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ ખુબ જ પારદર્શક અને માઇક્રો પ્લાનીંગ સાથે કોઇ ગેરરીતી વગર આયોજન કર્યુ હતુ.

વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment